પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 22/06/2024
દેવપ્રયાગઃ સંગમ ભાગીરથી અને અલકનંદાનો
રક્ષા ભટ્ટ
પ્રવાસન

આપણું હિન્દુસ્તાન પર્વતો, જંગલો, નદીઓ અને પ્રયાગોની પવિત્ર ભૂમિ છે. એમાં પણ નદીઓ અને તેનાં સંગમ સ્થળો તો મન-હૃદયને ટાઢક આપતાં એવાં થાનકો છે, જેને આપણે પૂજીએ છીએ અને તેના વહેતા જળમાં ડૂબકીઓ લગાવી પવિત્ર પણ થઈએ છીએ.

બિહારના હાજીપુરમાં ગંગા અને ગંડકીનો સંગમ, કર્ણાટકના ફૂડલીમાં તુંગા અને ભદ્રાનો સંગમ, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ભદ્રકાલીમાં ગોદાવરી અને ઇન્દ્રાવતીનો સંગમ અને ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં અલકનંદાનો પિંડાર, મંદાકિની અને ભાગીરથી સાથેનો સંગમ આપણા સૌના મનગમતા પંચપ્રયાગનો સંગમ છે.

આ પંચપ્રયાગમાં વળી એકલી અલકનંદા પાંચ જુદાં-જુદાં સ્થળો પર પાંચ જુદી-જુદી નદીઓને મળે છે, જેમાં દેવપ્રયાગમાં તે ભાગીરથીને મળે છે. રુદ્રપ્રયાગમાં તે મંદાકિનીને મળે છે. કર્ણપ્રયાગમાં તે પિંડારને મળે છે. નંદપ્રયાગમાં તે નંદાકિનીને મળે છે અને વિષ્ણુપ્રયાગમાં તે ધૌલીગંગાને મળે છે અને આ બધા મિલન આપણા પંચપ્રયાગના પવિત્ર સંગમો હોવા ઉપરાંત પંચપ્રયાગ યાત્રા પણ છે, જે નદીના કિનારે અને ઘાટે બે નદીઓના સંગમના ખળખળ વહેતાં નયનરમ્ય દશ્યો સાથે આપણી અંદર સમાય છે અને આપણને શુદ્ધ અને પવિત્ર પણ કરે છે.

આ પંચપ્રયાગમાં ઋષિકેશથી ઉપર જતાં સૌ પ્રથમ આવતું દેવપ્રયાગ ઋષિકેશથી માત્ર ૭૦ કિલોમીટર દૂર રહેલા ટિહરી ગઢવાલનું ૨,૭૨૩ ફૂટ ઊંચું ગામ છે. સતોપંથ અને ભાગીરથી હિમનદીઓથી નીકળીને અલકાનંદા છેક અહીં પહોંચે છે અને ભાગીરથીને મળે છે. બીજી તરફ ગંગોત્રી ગ્લેશિયરના ચરણે રહેલા ગૌમુખથી યાત્રા કરતી-કરતી ભાગીરથી પ્રથમ ગંગોત્રી આવે છે અને ગંગોત્રીથી ભૈરવઘાટી, હરસિલ, ઉત્તરકાશી, ટિહરી થઈને દેવપ્રયાગ આવે છે ત્યારે તેનું અલકાનંદા સાથેનું મિલન ગંગામાં સ્વરૂપાય છે અને ગંગાના જન્મ સ્થાનનું આ સ્વરૂપ તેના ઘાટે બેસવા જેટલું નિર્મળ અને નયનરમ્ય પણ છે, કારણ કે બંને નદીઓના જુદાં- જુદાં જળ - રંગના આ જલસાનો ઓવર વ્યૂ અસામાન્ય ઓળખ લઈને આખાય દેવપ્રયાગમાં છવાયેલો જોવા મળે છે.

This story is from the Abhiyaan Magazine 22/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 22/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

ખોટી માન્યતાઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ABHIYAAN

તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ

ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ફેમિલી ઝોન. બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન. બ્યુટી

લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 06/07/2024