અને આખી ગલીમાં લાલ રંગનું પ્રવાહી વહી નીકળે છે ત્યારે સર્વ ઉપસ્થિત જનોનાં હૃદયમાં લાગણીનાં ઘોડાપૂર ઊમટે છે.
જી ના, આ કોઈ રમખાણ કે કાપાકાપીની વાત નથી. આ તો બરસાનાની વિશ્વપ્રસિદ્ધ લઠમાર (લઠ્ઠામાર પણ કહે છે) હોળીનો પ્રસંગ છે. લઠમાર હોળીમાં રાધાજીના ગામ બરસાનાની સ્ત્રીઓ કૃષ્ણના ગામ નંદગાંવના પુરુષો પર લાઠી વરસાવીને હોળી રમે છે. આ પરંપરાનાં મૂળ પાંચ હજાર વર્ષ પૂર્વેની કૃષ્ણલીલામાં છે.
મુંબઈની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં સ્પિરિચ્યુઅલ કૅર વિભાગ સંભાળતા ડૉ. વિવેકાનંદ શાનબાગ વ્રજના ભોમિયા અને કૃષ્ણલીલાના અઠંગ અભ્યાસુ છે. વ્રજવાસીઓના સત્સંગ અને પ્રાચીન શાસ્ત્રોમાંના ઉલ્લેખોને આધારે વિવેકાનંદજી ચિત્રલેખાને કહે છે:
વ્રજમાં વસંત પંચમીથી હોળી ઉત્સવનો આરંભ થાય, જે ફાગણ પૂનમ પછીના પાંચ દિવસ સુધી અર્થાત્ આશરે ૪૫ દિવસ ચાલે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધ ફાગણ સુદ આઠમની લઠ્ઠમાર હોળી અને ફાગણ સુદ નોમની લઠમાર હોળી અથવા રંગીલી હોળી છે. કૃષ્ણલીલામાં આવતી કથા મુજબ બાળકૃષ્ણ અને બલરામજી એક બ્રાહ્મણને હોળીખેલના આમંત્રણ સાથે રાધાજી પાસે બરસાના મોકલે છે. પાંડે નામના આ બ્રાહ્મણ બિચારા રાધાજીના મહેલ સુધી પહોંચે એ પહેલાં જ બરસાનાની ભાગોળે ગોપીઓ એમને ઘેરી લે છે અને પિચકારીથી રંગી નાખે છે. એ બાપડા દિગ્મૂઢ થઈ જાય છે. દરમિયાન ગોપીઓના ટોળાને ચીરતાં રાધાજી આવી પહોંચે છે અને શરમથી પાણી પાણી થઈ ગયેલા બ્રાહ્મણને નટખટ ગોપીઓના સકંજામાંથી છોડાવીને પોતાના મહેલ પર લઈ જાય છે.
‘પાંડેલીલા તરીકે ઓળખાતી આ કથામાં પછી તો નંદગાંવના બ્રાહ્મણ પાસે રાધારાણી ક્ષમાયાચના કરે છે. હૂંફાળા સુગંધી જળથી એમના સ્નાનનો બંદોબસ્ત કરાવે છે. નવાં વસ્ત્રો આપે છે. રાજમહેલના સિંહાસન પર બેસાડીને એમનું ચરણપ્રક્ષાલન કરે છે. મીઠાઈ અને પ્રસાદનો થાળ આપે છે. માતા કીર્તિદાને બ્રહ્મદેવના આગમનની જાણ થતાં એ રાજી થઈને લાડુનો થાળ લઈને આવે છે. અતિથિભાવથી કીર્તિદાદેવી એક પછી એક લાડુ પાંડેજીના મુખમાં આગ્રહ કરી કરીને ઠોસે છે. ત્યાર બાદ પાંડે બ્રાહ્મણને દક્ષિણા, દાગીના આપીને રાજવી ઠાઠ સાથે પાલખીમાં બેસાડીને વૈદિક મંત્રોચ્ચાર સાથે નંદગાંવ જવા વિદાય કરે છે.'
This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.
સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન
૨૦૦૧ના ભૂકંપપીડિતોની યાદગીરી રૂપે ભૂજમાં બનેલાં સ્મારક અને સંગ્રહાલયને વૈશ્વિક ખ્યાતિ મળી છે. અર્થસભર નવતર ડિઝાઈન સાથે આ સ્મૃતિવન સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે.
સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?
મૂળ સુરતીઓ આ સીઝનમાં દીકરી-જમાઈને ઘરે બોલાવીને કેરીનો રસ ખવડાવે છે. સાથે અન્ય વાનગીઓ પણ ખરી. આખો પરિવાર આ ભોજન માણે એવી ઈચ્છા પછી તો અહીં પરંપરા બની ગઈ.
સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન
વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા નિશા
પહેલું બાળક...આવી ચિંતા થવી સહજ છે!
ગર્ભની ફરતે પ્રવાહી ઓછું હોય તો મુશ્કેલી થઈ શકે?
મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...
અનેક શૈક્ષણિક સિદ્ધિ, પ્રોફેસર તરીકેની અત્યંત સફળ કારકિર્દી તથા રોકેટની જેમ વધી રહેલા બિઝનેસનાં સંચાલન પછી મુંબઈનાં આ મહિલાને સમાજસેવાનું ઘેલું એવું તો લાગ્યું કે એમણે નબળા વર્ગના યુવાનોને યોગ્ય જૉબ સ્કિલ આપવાનું શરૂ કર્યું. આગળ જતાં ગ્રામીણ વિસ્તારોની જળસમસ્યા અને ખેતીના પ્રશ્નો ઉકેલ્યા તો સાથે વૃક્ષારોપણ ઝુંબેશ અને સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે પણ પાયાનાં કામ કર્યાં.
ચોમાસામાં બોલબાલા વાતાવરણની ગુટલીઓનો વરતારો આપતી ઍપ્સની
કાનને ખુલ્લા રાખે એવા બોન કન્ડક્શન હેડફોન વસાવવાનું હવે ખાસ મોંઘું રહ્યું નથી.
૧૦૧ નૉટઆઉટ
૫૫ પેટન્ટ, ૨૯૦ સંશોધન પેપર, ૧૦ પુસ્તક અને અને... ઑર્ગેનિક કેમિસ્ટ્રી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ જેમનું નામ આજેય આદરથી લેવામાં આવે છે એ ‘ભીષ્મ પિતામહ’ સુખદેવજી લાલા હજી હાર્યા નથી અને થાક્યા પણ નથી. દેશ-દુનિયાનાં અનેક શહેરોમાં ફરી વળેલા ‘લાલાજી’એ જીવનનાં પાછલાં વર્ષોમાં ભાવનગર સાથે ભાવસંબંધ બાંધી લીધો છે.
ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...
બીજાનાં જીવન બચાવવા સતત મથતા રહેતા ડૉક્ટરને રિલેક્સ થવાનો ટાઈમ ભાગ્યે જ મળે. એક તો વિદ્યાર્થીજીવન દરમિયાન એમણે ઘણું સ્ટ્રેસ ભોગવ્યું હોય અને કામે લાગ્યા પછી તો રોજ નવા પડકાર ઝીલવાના થાય. એક જુલાઈએ ડૉક્ટર્સ ડે છે એ નિમિત્તે ‘ચિત્રલેખા’એ ગુજરાત-મુંબઈના કેટલાક નામાંકિત તબીબો સાથે વાત કરીને એ એમની વ્યવસાયી પ્રવૃત્તિનો ભાર હળવો કરવા કહો કે થાક ઉતારવા-રિલેક્સ થવા માટે કેવું પ્લાનિંગ કરે છે તથા એનાં શું પરિણામ મળ્યાં એ પૂછ્યું. સાથે એમના અમુક શોખ વિશે પણ અવનવી વાતો જાણવા મળી.
દરવાજા વિનાનાં ઘરવાળું એક અનોખું ગામ
કોઈ પણ ગામની શેરી કે મહોલ્લામાં જઈને જોઈએ તો ઘરને સુરક્ષિત રાખવા માટે ડેલા કે લોખંડના દરવાજા જોવા મળે. શહેરોમાં તો હવે મોટા ભાગનાં મકાનમાં અને ઘરની બહાર પણ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવે છે. આ સામે ગુજરાતમાં એક એવું અનોખું ગામ છે કે જ્યાં આખા ગામમાં કોઈ ઘરમાં દરવાજા કે ડેલાની આડશ જ નથી. અને છતાંય ગામમાં ક્યારેય ચોરીની ઘટના બની નથી. આવો, સૌરાષ્ટ્રના આ નાનાએવા સાતડા ગામની અજાયબી વિશે જાણીએ.