![બિજ-થિંગ](https://cdn.magzter.com/1344508914/1711525546/articles/d4jLQ1lPD1711968941943/1712146678435.jpg)
રેખ્તા નો શાબ્દિક અર્થ · ભાંગીતૂટી’ કે ‘મિશ્ર’ એવો થાય છે. ૧૩મી સદીના હિન્દી-ફારસી કવિ અમીર ખુશરોએ સ્થાનિક ભાષા જૂની હિન્દી મિશ્રિત ફારસીને ‘હિન્દવી’ એવું નામ આપ્યું. ત્યાર બાદ બાબા ફરીદ જેવા મુસ્લિમ કવિઓએ આ સ્વરૂપનો વિકાસ કર્યો અને ૧૮મી સદી સુધીમાં તો તેને સાહિત્યિક દરજ્જો મળવા લાગ્યો અને તે ‘ઉર્દૂ’ તરીકે જાણીતી થઈ. ભાષાનું બદલાયેલ સ્વરૂપ માત્ર અપભ્રંશ નથી હોતું. તેમાં બદલાયેલાં લોક-કાલનાં આવર્તનો અંકિત થયાં હોય છે. ભાષા સંવાદનું પ્રાથમિક માધ્યમ છે. એથી તેમાં આવેલ મિશ્રતામાં પરસ્પરની જરૂરિયાત અને સ્વીકારના વણકહ્યા કરાર રહેલા હોય છે. આપણાં દેશની ૧૪૦ કરોડ જનતામાં કુલ ૨૨ ભાષાઓ, ૧૨૩ પેટા ભાષાઓ પ્રચલિત છે. એટલું જ નહીં, બાર ગાઉએ બદલાતી એવી અંદાજે ૧૯,૫૦૦ જેટલી બોલીઓ ચલણમાં છે. સમયાંતરે તેમાં પરિવર્તનો થતાં રહે છે. ફારસી લિપિ અને જૂની હિન્દી બોલીના મિશ્રણ સમી ‘ઉર્દૂ’ ભાષા તેનું પ્રમુખ અને જીવંત ઉદાહરણ છે. વિવિધતામાં એકતાનું સૂત્ર લઈને સતત પ્રગતિ કરતી આપણી ભાતીગળ સંસ્કૃતિના પાયામાં ભિન્નતાના સ્વીકારનો બહોળો ખ્યાલ રહેલો છે.
સદીઓથી દૃઢ થયેલી આ મજબૂત ભૂમિકાએ જ ‘રેખ્તાફાઉન્ડેશન’ પરિકલ્પના સાકાર થઈ હશે. રેખ્તા ફાઉન્ડેશનના સંસ્થાપક સંજીવ સરાફે પોતાની સાહિત્ય રુચિ અને સવિશેષ ઉર્દૂ શાયરી સાથેના ભાવનાત્મક જોડાણને મૂર્તિમંત કર્યું છે. જાણીને અચરજ થાય કે કેવી રીતે એક આઈઆઈટી એન્જિનિયર, એક સફળ ઉદ્યોગપતિ પોતાના ભાષાપ્રેમને આટલો વિકસાવી શકે છે! એટલું જ નહીં, તેને આખાય વિશ્વમાં વહેંચી શકે છે. આજે બાર વર્ષથી ‘રેખ્તા ફાઉન્ડેશન’ ઉર્દૂ ભાષા-સાહિત્યની સેવા કરી રહ્યું છે. દેશ-વિદેશમાં ‘જશ્ન-એ-રેખ્તા’ અંતર્ગત થઈ રહેલ કાર્યક્રમો દ્વારા કલાકારો અને કલારસિકોને સાહિયારો જલસો થઈ રહ્યો છે.
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![વિઝા વિમર્શ.](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/XdJmpBN-21720104341459/1720104834142.jpg)
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
![તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/LxgNkpi0-1720101035909/1720104295900.jpg)
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
![ફેમિલી ઝોન. બ્યુટી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/-YS57JzXf1720099918373/1720100944252.jpg)
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
![‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/NYpoBBBLG1720016298494/1720016807777.jpg)
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
![બીંજ-થિંગ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/Ro6bvaRMW1720014704284/1720016219196.jpg)
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
![પ્રવાસન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/kJX16u5J-1720013704669/1720014626878.jpg)
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
![શિક્ષણ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/f2ayOS1DG1720012440359/1720013618873.jpg)
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
![સોશિયલ મીડિયા](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/GgfVmIeh61720011337251/1720012322900.jpg)
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
![સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/gYH_k0BIm1720009327667/1720010379203.jpg)
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
![ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/qmvSZd2Id1719931366135/1719932563885.jpg)
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.